ડી.સી.જનરેટર માં વોલ્ટેજ નિયઁત્રણ વિષે સમજાવો

                      જનરેટર ઉપર આવતા લોડ ના પ્રમાણ માં જનરેટર ના આઉટપુટ વોલ્ટેજ માં ઘટાડો કે વધારો થતો રહેતો હોય છે.એટલે તેને અચલ રાખવાની જરૂર હોય છે એટલે જનરેટર ના આઉટપુટ વોલ્ટેજ ને નિયઁત્રણ માં રાખવાની જરૂર રહેતી હોય છે જે નીચે પ્રમાણે ની બે રીત દ્વારા સમજાવી શકાય
1.ફીલ્ડ કરન્ટ માં ફેરફાર કરીને  અને
2.જનરેટર ની સ્પીડ માં ફેરફાર કરીને

1.ફીલ્ડ  કરન્ટ માં ફેરફાર કરીને :

                                                આ પ્રકાર ની રીત માં ફીલ્ડ વાઇન્ડીંગ ની સીરીઝ માં વેરીએબલ રેઝીસ્ટન્સ મૂકીને ફીલ્ડ કરન્ટ ના મૂલ્ય માં ફેરફાર કરવામાં આવે છે ફીલ્ડ કરન્ટ ના મૂલ્ય માં ફેરફાર થવાથી મેગ્નેટિક ફીલ્ડ માં પણ ફેરફાર થશે અને તેથી આઉટપુટ વોલ્ટજ માં જોઈતા પ્રમાણ માં ફેરફાર કરવું શક્ય બને છે 

2.જનરેટર ની સ્પીડ માં ફેરફાર કરીને :

                                                આ પ્રકાર ની રીત માં જનરેટર ની સ્પીડ માં ફેરફાર કરવામાં આવે છે હવે જનરેટર આઉટપુટ વોલ્ટજ નું મૂલ્ય જનરેટર ની સ્પીડ પર આધારિત હોવા થી સ્પીડ ના વધતા વોલ્ટેજમાં વધારો થાય છે અને સ્પીડ ના ઘટાડા સાથે વોલ્ટજ માં ઘટાડો થશે.આમ સ્પીડ માં ફેરફાર કરીને વોલ્ટેજ ના મૂલ્યમાં પણ વધારો કે ઘટાડો કરી શકાય છે.


Comments

Popular posts from this blog

ઓહમ નો નિયમ

વાહક અને અવાહક

ટ્રાન્સફોર્મર ના પ્રકાર (Transformer Na Prakar)